20121218

નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે. સરક્રીક એક રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે


નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે.  સરક્રીક એક રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે.
નહેરુવીયન કોંગ્રેસે સ્પષ્ટ જવાબ આપવો જોઇએ.
છાડ બેટ અને સરક્રીક ના મુદ્દાઓ અને સમસ્યાઓ એક જ છે કે જુદા?
એક જાણીતા અખબારી તંત્રીશ્રી એવું જણાવવા માગે છે કે સરક્રીક અને છાડબેટ એક જ છે.
તેઓશ્રી એમ પણ કહે છે કે ૧૯૬૮માં લવાદે ચુકાદો આપેલ; કે ૯૦ ટકા છાડબેટ નો હિસ્સો ભારતને મળે અને ૧૦ ટકા પાકિસ્તાન ને મળે. પાકિસ્તાને આ ચૂકાદો મંજુર રાખેલ નહીં..
તંત્રીશ્રી કદાચ માહિતિ ધરાવતા નથી.
તાસ્કંદ કરાર હેઠળ એવું નક્કી થયેલ કે વાટા ઘાટો દ્વારા સીમારેખાના પ્રશ્નો ઉકેલવા. છાડ બેટ કે જે એક વિસ્તાર છે અને તે કચ્છના રણ થી ઘેરાયેલો છે. ૧૯૪૭ પહેલાં અને તે પછી પણ રણ અને બેટ ની કોઈ નિર્ધારિત વ્યાખ્યા ન હતી. બેટ પણ રણમાં જ આવી જતા હતા. અને જો અખાતની બંને બાજુ રણ હોય તો તે અખાત પણ રણ નો જ હિસ્સો ગણાય અને તેને પણ રણ વિસ્તારમાં જ ગણી લેવાનું. આમાં કશું ખોટું પણ ન હતું.
કચ્છ અને સિંધ વચ્ચે સરહદી સમસ્યા પરાપૂર્વ થી હતી. પણ બ્રીટીશ ઈન્ડીયામાં સિંધ બ્રીટીશ એજ્ન્સીમાં આવતો અને કચ્છ તેના રાજાની હકુમતમાં આવતું હતુ. કચ્છનું રણ પણ કચ્છના રાજાની હકુમતમાં આવતું હતું. છાડબેટ વાળા રણપ્રદેશ ઉપર પણ કચ્છના રાજાનો કબજો હતો. જોકે પાકિસ્તાનના કહેવા પ્રમાણે તે વિવાદી વાત હતી. પણ ૧૯૫૬ અને જ્યાં સુધી ટ્રીબ્યુનલનો ચૂકાદો અમલમાં ન આવ્યો ત્યાં સુધી સમગ્ર રણ ઉપર સંપૂર્ણ કબજો ભારત સરકારને હસ્તક હતો.
જેમ આગેસે ચલી આતી હૈ અને બધું રામ કરશે એ આશ્રયે ચાલતી નહેરુવીયન કોંગ્રેસ સરકારે ટ્રીબ્યુનલ માન્ય રાખી અને પુરતા દસ્તાવેજો રજુ ન કરી શકી.
બીજી બાજુ પાકિસ્તાનની સરકાર નબળા તો નબળા પણ દસ્તાવેજો છાડ બેટની સિંધની માલિકીને લગતા રજુ કરી શકી.
પાકિસ્તાનની સરકાર, રણની માલિકીને લગતા સિંધના દસ્તાવેજો ટ્રીબ્યુનલને સંતોષ થાય તેવા ન આપી શકી તેથી ટ્રીબ્યુનલે ભારતને શંકાનો લાભ કરી રણ આપ્યું અને પાકિસ્તાનને છાડ બેટ આપ્યો.
સરક્રીક નો મુદ્દો સીમાંકનમાં ટ્રીબ્યુનલ પાસે હતો જ નહીં. તેથી સરક્રીક અને છાડબેટ એ એક જ સમસ્યાના બે નામો છે એ વાત બરાબર લાગતી નથી. તંત્રીશ્રી જે સરક્રીક અને છાડબેટ ને એક ફલિત કરાવવા માગે છે તેનાથી જનતા સમજવામાં ગુમરાહ થઈ શકે છે.
છાડ બેટ શું છે? અને તેને ઘેરેલું રણ શું છે? ચોમાસામાં છાડ બેટ જમીન તરીકે રહે છે. અને રણ પ્રદેશ પાણીમાં ડૂબી જાય છે. રણ પ્રદેશ ને વિકસિત કરી ઉપજાઉ બનાવી શકાય તેમ છે. છાડ બેટનો ૧૦ટકા વિસ્તાર છે અને તેના રણ વિભાગનો ૯૦ ટકા હિસ્સો છે. આ વાત ફક્ત છાડબેટના પાકિસ્તાનની દષ્ટિએ રહેલા વિવાદિત સીમા પ્રદેશની વાત છે.  
છાડ બેટ એટલે કે માત્ર બેટ એ એવો વ્યુહાત્મક સ્થળે આવેલો છે કે જો ઈન્દ્ર રાજા ન રુઠ્યા હોત તો ૧૯૬૫માં ભારત પશ્ચિમની કચ્છ-સિંધ સરહદ ઉપર પાકિસ્તાનનો ઘણો પ્રદેશ જીતી શક્યું હોત. વરસાદ અને પાણીના પ્રવાહને લીધે પાકિસ્તાન અને ભારત વધુ આગળ વધી શક્યા ન હતા. પણ પાકિસ્તાનને એ વાતનું મનથી પાક્કું કરી લીધું કે જો છાડ બેટ મળી જાય તો વ્યુહાત્મક રીતે કચ્છની તે સીમા રેખા ઉપર સબળ થઈ જવાય તેમ છે. આમેય તેનો દાવો તો હતો જ.
આ કારણ થી પાકિસ્તાને તાસ્કંદ કરાર અંતર્ગત, વાટોઘાટો માટે ભારત સરકારને તૈયાર કરી.
વાટાઘાટો નિસ્ફળ જાય જ. એટલે ટ્રીબ્યુનલની આવશ્યકતા બને અને ટ્રીબ્યુનલમાં કેસ રજુ કરી શકાય.
પાકિસ્તાન માટે તો આ “લાગે તો તીર નહીં તો તુક્કો” એવી વાત હતી. કબજો અને હક્ક બંને ભારતના હતા. હક્ક એટલા માટે કે ભારતના વિભાજનમાં બ્રીટીશ ભારતમાંથી પાકિસ્તાનને એક હિસ્સો કે જ્યાં ત્યાંની જનતાની બહુમતિએ પાકિસ્તાન સાથે જોડાણમાં સંમતિ આપી હતી, તે હિસ્સો જુદો કરીને આપવામાં આવ્યો હતો.
ભારતના વિભાજનની વાત એવી ન હતી કે બ્રીટીશ ભારતને, હિંદુ મુસ્લિમ વસ્તીને ધોરણે બે ભાગ કરી દો.
એટલે જો કોઈ કે જે તે સીમા ઉપરના ગામના લોકોના જો મત જ ન માગવામાં આવ્યા હોય તો તે ગામ પ્રદેશ તો ભારતમાં જ રહે. અને કબજો પણ ભારતનો જ રહે. વળી આ પ્રદેશમાં કચ્છના રાણાનું જ શાસન ગણાતું અને તે ટેક્ષ પણ પોતાની હોતી હૈ ચલતી હૈ એ રાહે વસુલ કરતો. જો કે બ્રીટીશ એજન્સીએ એક વાર તેને રદબાતલ કરેલ. પણ રાજા ને તે વાત માન્ય ન હતી અને તે પોતાના હક્ક ઉપર કાયમ હતો. તે હક્ક ભોગવે કે ન ભોગવે કે બ્રીટીશ સરકાર ન ભોગવવા દે તે વાત અલગ હતી. એમ તો આ હિસ્સો બ્રીટીશ રાજના કયા પોલીસ સ્ટેશન ની હદમાં આવતો તે પણ બ્રીટીશ સરકાર કે પાકિસ્તાનની સિંધ સરકારને ખબર ન હતી.
છાડબેટના ઉપરના ચૂકાદાને પાકિસ્તાને માન્ય નથી રાખ્યો તે તો આ અખબારી તંત્રીશ્રી તરફથી જ આવ્યું છે. મનમોહનશ્રીએ આવી કોઈ પૂષ્ટિ કરી નથી, કે છાડ બેટ અને સરક્રીક બંને એક જ સમસ્યા હતી અને છે અને પાકિસ્તાને છાડબેટનો ટ્રીબ્યુનલનો ચૂકાદો માન્ય રાખ્યો ન હતો. ન તો આવા કોઈ સમાચાર ૧૯૬૮માં કે ન તો તે પછી ક્યારેય આવ્યા છે.
એથી ઉલ્ટું, લવાદના આ ચૂકાદાના અમલ સામે એક પીટીશન થઈ હતી કે ભારત સરકાર આ ચૂકાદાનો અમલ ન કરાવી શકે કારણ કે રાષ્ટ્રની સીમા ઉપરનો કબજો અને તેની સુરક્ષા એક ભારતીય નાગરિકનો બંધારણીય હક્ક છે. પાર્લામેન્ટની ૨/૩ બહુમતિ બંધારણીય ફેરફાર કરાવ્યા વગર ભારત સરકાર ટ્રીબ્યુનલના ચૂકાદાનો અમલ ન કરી શકે. પણ ભારત સરકાર અમલ કરવા પ્રતિબદ્ધ હતી અને તેણે પોતાની દલીલો કરેલી અને ટેક્નીકલ ગ્રાઉન્ડ એટલે કે અરજદાર દ્વારા રજુ કરાયેલા (એટલે કે ન રજુકરાયેલા) દસ્તાવેજોના આધારે પીટીશન કાઢીનાખેલ. (Shiv Kumar Sharma vs Union Of India And Ors. on 14 May, 1968)
પણ સરક્રીક એ જુદી જ વાત છે. નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે.  નહેરુવીયન કોંગ્રેસે સ્પષ્ટ જવાબ આપવો જોઇએ.
૧૯૬૩ માં જેમ નહેરુવીયન સરકારે સંસદ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે ચીને ૬૦ હજાર ચોરસ માઈલ કબજે કરેલો ભારતીય પ્રદેશ જ્યાં સુધી અમે પાછો મેળવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. તે પછી નહેરુવીયન કોંગ્રેસે ૪૦ વરસ કે તેથી વધુ સ્મય રાજ કર્યું અને કરે છે. અને હવે વર્તન તો એવું છે કે “મસ્જીદમાં ગર્યો  તો જ કોણ?” યા તો “કહેતા બી દિવાના ઔર સૂનતા બી દિવાના”.
અનેકાનેક મુંબઈ બ્લાસ્ટ થયા પછી પણ દર બ્લાસ્ટ વખતે, નહેરુવીયન કોંગ્રેસ સરકારે, પાકિસ્તાન વિષે એવી જ વાત કરેલ કે જ્યાં સુધી પાકિસ્તાન, આતંકવાદી કેંપ બંધ નહીં કરે અને ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં આશરો લઈ રહેલ આતંકવાદીઓને પાકિસ્તાન, ભારત સરકારને સોંપશે નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાટાઘાટો કરવામાં આવશે નહીં.
પાકિસ્તાન સરકાર તો એજ ગાણું ગાય છે કે અમને સંતોષ થાય તેવી સાબિતીઓ આપો તો અમે બધા જ આતંકવાદીઓ તમને સોંપી દેશું. અમને કંઈ આતંકવાદીઓ પ્રત્યે પ્રેમ નથી.
આપણી નહેરુવીયન સરકાર વિષે તો એવું જ લાગે છે કે આપણી આ સરકારની આતંકવાદીઓને લેવાની દાનત જ નથી દાઉદ વિષે શું એવું જ છે? શું તેના વિષે પણ સાબિતીઓ નથી? તો પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.
કોઈ પાકો નિર્ણય ન કરો,
ફાવે એમ બોલો.,
ફાવે એવા નિર્ણયો ઘોષિત કરો,
નિર્ણયો કે ઘોષણાઓના પાલનની ઐસી તૈસી,
સમય પાસ કરો,
 નવા ઈસ્યુ ઉભા કરો,
બધા જ ઈસ્યુ જુના કરો,
એવા માઈના લાલોનો તૂટો નથી કે જે એમ ન કહે કે “જુની વાતો ક્યાં લગી વાગોળશો”,
નહેરુવીયન કોંગ્રેસીઓ તમે તમારા સાથીઓ સહિત લીલા લહેર કરો,
તમને બચાવવા અમે સમાચાર માધ્યમો તૈયાર છીએ,
વિતંડાવાદમાં અમે પણ તમારાથી કમ નથી.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ છાડબેટ, કચ્છ, રણ, ક્રીક, સિંધ, બ્રીટીશ, એજન્સી સરકાર, ટ્રીબ્યુનલ, લવાદ, ૧૯૬૫, ૧૯૬૮, ૧૯૬૨, પાકિસ્તાન, ભારત, સરકાર