ગુરુ થઈ બેઠો હોંશે કરી, કંઠે પહાણા શકે ક્યમ તરી; - (જ્યમ) નાર નાંનડી હવું પ્રસૂત, વળતી વાધે નહીં અદ્ભુત;
શિષ્યને ભારે ભારે રહ્યો, અખા એમ મૂળગેથો ગયો. ૧૨ પોતે હરિ નહીં જાણે લેશે, કાઢી બેઠો ગુરુનો વેશ;
- સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર આપ;
એવા ગુરુ ઘણાં સંસાર, તે અખા શું મૂકે ભવ પાર. ૧૩ તું તારું સમજીને બેશ, કાં કોળે દિલે પ્યારી મેશ;
- તુંબડું જેમ માંહેથું મરે, જે લઇ પેશે તે સૌ તરે;
તરુવર ફળ દેવા નવ જાય, અખા આવી જાચે તે ખાય. ૧૪ | પહેલો તું પરમારથ પ્રીછ, પચે ગુરુ થવાને ઈચ્છ; - પારો મુવો તે રોગ નિર્ગમે, પચે ભોજના બોળું તે જમે;
ત્યમ નિરાશે મલે નારાયણ, અખા તું પહેલે એવું જાણ. ૧૫ તું તારા મનમાંહી પ્રીછ, શાને મોટપા લે છે શીશ,
- ઝીણું મળતાં મોટું થાય, મોટુઁ કણ્યકા થઇને જાય;
અખા તાત વિચારે વિંધ્યે, રિધ્ય ઘણી તો રહે સાંનિધ્યે. ૧૬ આપે આપ પૂરણ બ્રહ્મ હરિ, પોત પસાર્યું રચના કરી;
- ચૈતન્ય બ્રહ્મશલાનું ચિત્ર, ઋષિ જક્ષ માનવ પશુ પિત્ર;
થાય જાય એ માયા ભેર, અખા ચૈતન્ય નોહે ઉચ્છેદ. ૧૭ ધર્મ સતવાદી ભીમ બળવંત, સેદેવ જોશી જાણે તંત; - અર્જુન બાણાવળી નકુળ ચતુર, સાથ જેને શ્રીકૃષ્ણ હજુર;
- વન ભોગવતા દુખિયા થયા, પામી રાજ્ય અધુરા ગયા;
સહેજે જે થાયે તે થાય, કર્તવ્યનું બળ અખો ન ગાય. ૧૮ સુધું સમજી સુખિયો થા, મૂકી આપ ઇશ્વરમાં જા;
- ધરમ અરથ મોક્ષને કામ, એ માયા પગ મૂક્યાં ઠામ;
નિસ્પૃહી તે નિરાળો રહે, અખા લાલચિયો લીધે વહે. ૧૯ સમજે તો અવળું છે તાન, બીજું ઇચ્છે એહજ જ્યાન;
- સોનામાંહે બીજું ભળે, મૂળ રૂપ તેનું જ્યમ ટળે;
જેમ છે તેમ એ છે આત્મા, અખા કેની એવી છે ક્ષમા. ૨૦
કવિતા ઘણા કવિ કવી ગયા,અધાપિ કવે પ્રત્યક્ષ રહ્યા; - વળી આગળ કવશે બહુ કવિ,મનની વૃત્યમાં જો જો અનુભવી;
અખા મનાતીત તેમનું તેમ,મનની વૃત્યમાં મનની ગમ્ય. ૨૧
જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યનાં કેમ વરણીશ; - શબ્દતણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય;
એવું વચન અલિંગીતણું, અખા નહીં કોય પર આપણું. ૨૨
સ્થિતિ નહીં આપાપરતણી, પંડ્ય બ્રહ્માંડનો થાએ ધણી; - અચવ્યું સરખું દીસે આપ, ભૂત ભવિષ્યનો નોહે થાપ;
અખા જોતાં ચિદઆકાશ, આવિર્ભાવ વિના શો નાશ. ૨૩
જો હરિમાર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત; - જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ;
અખા મોહ્યો પંથે ભમ્યો, વાદ કરતાં આયુ નિર્ગમ્યો. ૩૧૦ વેશતણું રાખે અભિમાન, સામું તેણે થાએ જાન;
- સંસારી મળ ધોવા કાજ, સાબુ મેલને દીધે વાજ;
અખા મેલ જો નવ નીકળે, તો મેલું તે કયી પેરે ટળે. ૩૧૧ નિવૃત્ય પ્રવૃત્ય સમણાંનું ધન, ઉંઘ્યો નર તેનું કરે જતન;
- જાગ્યે રૂડું કુડું ટળે, જ્ઞાની તે જે પાછો વળે;
અખા પ્રપંચ નહિ પરમાણ, ઠાલો શું થઇ બેસે જાણ. ૩૧૨ તપતીરથ દેહ દમવાકાજ, જાણી ઉન્મત્ત આવે વાજ;
- ફળ સંભળાવી કીધું ખરૂં, પણ હરિ મળવાનું કારણ પરહર્યું;
અખા એ સર્વ મનનો તોર, કોડી વટાવે નાવે મોહોર. ૩૧૩ હરિ જાણી જે તે હરિવડે, મન જનથી જે અળગે પડે;
- બીજાં કર્મ મનથી નીપજે, મન સુધે જે તેને ભજે;
અખા તે માટે રૈ ચેત, જ્યાં રહીને નિગમ કહે નેત. ૩૧૪ અખા તેજ નર ચેત્યો ખરો, જે ચાલ્યો માથે ઉફરો;
- ઊંઠ હાથમાં સૌ કો રમે, જાગ જોગ એટલામાં ભમે;
મુક્તિ ચતુર્ધા એટલા લગે, પણ પદ રહી જોતાં પડશે વગે. ૩૧૫ અણલિંગી મોટો ઉપદેશ, જે ઇચ્છે અજ વિષ્ણુ મહેશ;
- લિંગ ચતુષ્ટયથી પર યથા, જ્યાં ન મળે જક્ત સંબંધી કથા;
અખા એ ત્યાંહાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દ નોહે સમાસ. ૩૧૬ ભક્તિ કરતાં ભરમે બૌ, પણ ભજનભેદ ન જાણે સૌ;
- જ્યાં શુચિ અગ્ર રહેવા નહિ ઠામ, એમ ભરી પૂરણ રહ્યો રામ;
ત્યાં તો કરતા દીસે ઘાત, તો એમ અખા કેમ ધાતે વાત. ૩૧૭ પેલે ઓળખ્ય હરિ પછે ભજે, કાં વોરે જોયા વિના વજે;
- ચૈતન્યબ્રહ્મ કહે વેદ વાણ્ય, તું તો માને પીતળ પાણ;
આતમની અવગણના કરે, અખા ભક્તિ કેમ પડશે વરે. ૩૧૮ જ્ઞાનવિના ભક્તિ તે અશી, ભસ્તે શ્વાને જેમ ઉઠે નશી;
- લારે લાર જેમ ચાલ્યે સોર, ત્યાં કોણે દીઠો તો ચોર;
જે જેણે દીઠું સાંભળ્યું, અખા તે તે વળણે વળ્યું. ૩૧૯ | જેવી શાસ્ત્ર સંત વાણી વદે, તેવું નરને આવે હ્રદે;
- હું મમતા દેહ જો ઓળખાય, સર્વાવાસ હરિ ત્યારે જણાય;
સચરાચર જાણ્યા વિણ હરિ, અખા દ્રોહબુદ્ધી જ્યાં ત્યાં કરી. ૩૨૦ જ્ઞાનવિના ભક્તિ નવ થાય, જેમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય;
- તે માટે જ્ઞાની ગુરુ કરો, હરિ દેખાડે સભરો ભર્યો;
ગુરુજ અખા નવ જાણે રામ, તે શિષ્યને શું આપે નામ. ૩૨૧ જોતાં વિચારી સ્વે નિજધામ, ઉપાધ્ય આવવાનો તું ઠામ;
- આવી અચાનક ઉઠી બલા, સુખી દુઃખી નર ભુંડા ભલા;
પંડિત જાણ થાપે જીવ કર્મ, અખે માયાનો પ્રીછ્યો મર્મ. ૩૨૨ નિજ શક્તિયે કર્યું આકાશ, તત્વે તત્વ હવો પરકાશ;
- અંશે અંશ ભૂતિક પિંડ થયા, સત્તાબળ વડે ચાલી ગયા;
જેમ ખડક્યાં પાત્ર અગ્નિથી ઉષ્ણ, એમ અખા બળ વ્યાપ્યું વિષ્ણુ. ૩૨૩ પાત્ર માત્રમાં હોય વરાળ, પિંડ શાથે હોય મનની જાળ;
- મનને જોઇએ સર્વે વિષય, પણ મૂળ અગ્નિને નવ લખેય;
વિષયને મન તે આ સંસાર, અખે એવી વિધ્યે કાઢ્યો પાર. ૩૨૪ મુજ જોતાં એ મન સુખી દુઃખી, પણ મનાતીત ન શકે પારખી;
- મનના માર્યા જાએ એહ, એમ સમજણ નહિ સમજે તેહ;
ચૌદ લોકરૂપે મન થયું, અખા મનાતીત જેમનું તેમ રહ્યું. ૩૨૫ પ્રપંચપાર પરમેશ્વર રહે, કાં ગુણનાં કૃતને સાચાં કહે;
- ગુણ તે જાય મરે અવતરે, તેને સત્ય જાણે તે ફેરા ફરે;
ગુણપારે જેનો અધ્યાસ, અખા તે નોહે સ્વામી દાસ. ૩૨૬ અખે જગતથી અવળું કર્યું, જીવત મૂકી મૃતક આદર્યું;
- મૃતક સમું મીઠું કાંઇ નથી, સારમાંથી સાર કાઢ્યું મથી;
પ્રત્યક્ષ પરોક્ષ જીવતાને ભય, પણ અખા મુવો તે નિર્ભય. ૩૨૭ રામનામ પ્રીછે ગુણ ઘણો, જેમ અમૃતમાં ગુણ પીધાતણો;
- વણ સમજ્યો સુડો નિત્ય કહે, રામ કંઠ પંજરમાં રહે;
ક્યાં પૂજ્યો ગાયો પરીક્ષિતે, અખા મુક્તિ પામ્યો પ્રીછતે. ૩૨૮ |
|