20140702

નરેન્દ્ર મોદી, Narendra Modi


NaMo_PM
NaMo

કિશોર અવસ્થામાં વડનગર સ્ટેશને ચા વેચનારમાંથી બન્યા ભારતના વડા પ્રધાન

(  દેશ માટે સમગ્ર જીવન સમર્પણ કરનારની અદભૂત જીવનયાત્રા )

પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
——————–
વડાપ્રધાનપદે શપથવિધિ           ૨૬,મે -૨૦૧૪
વડાપ્રધાનપદે શપથવિધિ
૨૬,મે -૨૦૧૪
આ ચિત્ર પર ‘ક્લિક’ કરી વિડિયો માણો
જન્મ
  • ૧૭ મી સપ્ટેમબર, ૧૯૫૦; વડનગર , જિ. મહેસાણા
કુટુમ્બ
  • માતા – હીરાબેન ; પિતા- દામોદરદાસ
  • પત્ની – જશોદા ( શિક્ષિકા)
તેમનાં પત્ની જશોદાબેન સાથે ઈન્ટરવ્યુ
શિક્ષણ
  • ૧૯૬૩- ૬૮ – વડનગરની સ્કુલમાં માધ્યમિક
  • —એમ.એ. ( પોલિટિક્સ) – ગુજરાત યુનિ.
વ્યવસાય
  • જીવનભર – રાજકારણ
જીવનકથા
એક ઇન્ટરવ્યુ
તેમના વિશે વિશેષ
  • હાઈસ્કુલ શિક્ષણ દરમ્યાન નાટકોમાં ભાગ લીધેલો
  • ગામના તળાવમાં મગરો વચ્ચે તરીને મગરના બચ્ચાને પકડી સ્કુલમાં લઇ ગયેલા.
  • પરિવાર ગરીબ અવસ્થામાં હોઈ ૧૪ વર્ષની કિશોર વયે તેમણે વડનગર સ્ટેશન બહાર આવેલા એમના પરિવારના ટી સ્ટોલ પર કામ કરતા
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા.
  • ૧૯૮૭ – દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
  • ૧૯૯૦ – ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • ૧૯૯૪ – ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
  • ૧૯૯૫ – ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને તેમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો.
  • ૧૯૯૮ – મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પક્ષમાં મહત્વ વધી ગયું.
  • ૭મી ઓક્ટોબર,૨૦૦૧: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં. જીવનમાં પહેલો  મોટો બ્રેક.
  • ઓક્‍ટોબર ૨૦૦૧ – ગોધરાકાંડ બાદ તેઓ ભારે દબાણમાં આવી ગયા. ત્યારબાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું અને ફરીથી ચૂંટણી યોજાઈ.
  • જાન્યુઆરી, ૨૦૦૧- વિનાશક ભુકંપ સહિતની અન્ય ઘણી કુદરતી આપત્તિઓની વિપરિત અસરોમાંથી પસાર થઇ રહ્યું હતું. પ્રતિકૂળ પરિસ્થિતિઓને તેમણે કેવી રીતે સર્વાંગી વિકાસના અવસરોની તકમાં ફેરવી દીધી તેનો બોલતો પુરાવો ભૂજ શહેર છે.
  • ૨૦૦૨ -વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.
  • ૨૦૦૫ – ‘ધાર્મિક અસહિષ્ણુતા’નું કારણ આપીને અમેરિકાએ તેમને ટ્રાવેલ વિઝા આપવાનો ઈનકાર કર્યો  જે આજ દિન સુધી અમલમાં છે.
  • ૨૦૦૭ – ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા.
  • ૨૦૧૧/ ૨૦૧૨ – મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવા મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.
  • ૨૬, ડિસેમ્બર ૨૦૧૨ – ગુજરાતની ચૂંટણી ફરી જીતી  લીધી. ૧૮૨માંથી ૧૧૫ બેઠકો જીતી. સળંગ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ.
  • ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૧૨ – એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં ૪૦૦૦ દિવસ પૂર્ણ કર્યાં. સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે .
  • ૨૦૧૩: ૯ જૂન – ગોવામાં ભાજપે મોદીને દેશની ૨૦૧૪ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા. આવી બઢતી આપવાના વિરોધમાં જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેની ૧૭ વર્ષ જૂની દોસ્તી તોડી નાખી.
  • ૧૩ સપ્ટેંબર ૨૦૧૩ – ભાજપ અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા.
  • ૨૬, મે- ૨૦૧૪ – ભારતના વડાપ્રધાન પદે શપથ 
સન્માન
  • પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન
  • આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા TIME મેગેઝીનની એશિયા આવૃતિના એક અંકના મુખ પૃષ્ઠ ઉપર એમના ચિત્ર સાથે લેખ
  • કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા” દ્વારા ઇ-રત્ન
  • ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – “ઇન્ડિયા ટુડે” દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.
  • ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા
  • ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– FDI magazine દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.
  • ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના એવોર્ડ -અહીં -http://www.narendramodi.in/categories/awards/
સાભાર 
  • શ્રી. વિનોદ પટેલ