20140526

ગંગા સતી, Ganga Sati

 “મેરુ રે ડગે ને જેનાં મન ના ડગે ,મન રે ભાંગી રે પડે ભરમાંડ રે!
વિપદ પડે પણ વણસે નહીં ,ઇ તો હરિજનના પરમાણ રે!” 


_____
ગંગાસતીના બધા ભજનો ડાઉનલોડ કરો – અહીંથી

નામ
  • ગંગાબાઇ ફહળુભા ગોહિલ
ઉપનામ
  • સોરઠનાં મીરાંબાઇ
જન્મ
  • 1846 રાજપરા પાલીતાણા
અવસાન
  • 1894
માતા
  • રૂપાળીબા
પિતા
  • ભાઇજી જેસાજી સરવૈયા
ભાઇ બહેન
  • ચાર ભાઇ બહેન
લગ્ન               1864 સમઢિયાળાના ગરાસદાર કહળસંગ કલભા ગોહિલ (કહળુભા) સાથે; જ્ઞાતિના રિવાજ પ્રમણે લગ્ન સાસરે જ થયા.
સંતાનો            એક માન્યતા બે પુત્રીઓ બાઇ રાજબા અને હરિબા , પાનબાઇ પિયરમાંથી સાથે આવેલી ખવાસ-કન્યા અને દાસી; બીજી માન્યતા- એક પુત્ર અજોભા અને પૂત્રવધુ પાનબાઇ
અભ્યાસ
  • કાંઇ નહીં પણ પીપરાળી ગામના ગુરૂ ભૂધરદાસજી પાસેથી મળેલ જ્ઞાન તેમના ભજનોમાં ઉતર્યું છે.
વ્યવસાય
  • ઘરકામ અને ભક્તિ
પ્રદાન
  • સૌરાષ્ટ્ર માં બહુ જ ગવાતા 51 ગીતો
જીવન
  • પતિ પણ ધર્મપરાયણ, બન્ને દંપતિ ભક્તિ ભાવ અને સાધુ સંતોની સેવામાં રચ્યા પચ્યા રહેતા.
  • ગામનું ઘર સાંકડું પડતાં વાડીમાં ઝુંપડી અને હનુમાનજીની દેરી બનાવીને રહ્યા.
  • ચમત્કારિક ઘટના બનતાં લોકો કહળુભા ની પૂજા લોકો કરવા લાગ્યા. આથી તેમણે જીવતાં સમાધિ લીધી
  • પતિના મૃત્યુ બાદ ગંગાસતીએ રોજના એક લેખે 52 ભજનો પાનબાઇને ધાર્મિક શિક્ષણ આપવા સંભળાવ્યા અને 53મા દિવસે પોતે પણ જીવતા સમાધિ લીધી.
  • આ દુઃખ સહન ન થતાં પાન બાઇ એ પણ  જીવતા સમાધિ લીધી
સાભાર
  • જયશ્રી ભક્ત
વધુ માહિતી