20140526

રમેશભાઇ પારેખ (Kavi Ramesh Parekh)


ઉપનામ           છ અક્ષરનું નામ
જન્મ               27-11-1940- અમરેલી
અવસાન           17-5-2006 રાજકોટ
Ramesh Parekh recently passed away leaving Gujarati language poor. However he has in his lifetime brought Gujarati language and literature to greater height.
May his soul rest in peace.
પ્રસિધ્ધ ગુજરાતી કવિ રમેશભાઇ પારેખનું ભારતમાં અવસાન થયું છે. આ અત્યંત દુ:ખદ સમાચાર છે. ભગવાન તેમના આત્માને શાંતિ અપૅ.
રમેશભાઇ પારેખને તમે કદાચ જાણતા ન હોય તો તેમના વિષે જાણવા આ website પર મુલાકાત કરશો. Click here. Also see his જીવન ઝાંખી:  On Gujarati Sarswat Parichay (maintained by Sureshbhai Jani)

Here are some glimpses of an Interview with Rameshbhai Parekh:



રમેશ પારેખ- few more on Dhaval Shah's website.
રમેશ પારેખ

હું મરી ગયો
હું મરી ગયો.
અંતરિયાળ.
તે શબનું કોણ ?
તે તો રઝળવા લાગ્યું.
કૂતરૂં હાથ ચાવી ગયું
તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગ ઇ
કાગડા મજેથી આંખો ઠોલે
કાન સોંસરી કીડીઓ આવે-જાય
સાલું, સાવ રામરાજ ચાલે..
પવન દુર્ગંધથી ત્રાસીને છૂ
તે વાળ પણ ન ફરકે
-ને આ બાજુ સાંજ પડું પડું થાય.
ઘેર જવાનું તો હતું નહીં.
આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.
હું સારો માણસ હતો.
નખમાં ય રોગ નહીં ને મરી ગયો.
કવિતા લખતો.
ચશ્માં પહેરતો.
ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.
પાછળ ઘર કલ્પાંત કરતું હશે.
અને એમ સહુ રાબેતાભેર.
ખરો પ્રેમ માખીનો
જે હજી મને છોડતી નથી.
હું બિનવારસી,
ને જીવ સાલો, જલ્સા કરતો હશે.
પણ કાકો ફરી અવતરશે.
ને માણસગીરી કરશે, હી હી હી..
-આમ વિચારવેડા કરતો હતો
તેવામાં
બરોબર છાતી પર જ
ના, ના ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.
પણ નહોતું.
છાતી પર પતંગિયું બેઠું’તું
પતંગિયું..
આલ્લે..
સડસડાટ રૂંવાડાં ઊભાં..
લોહી ધડધડાટ વહેવા માંડ્યું
ઓચિંતી ચીસ નીકળી ગ ઇ કે
હું મરી ગયો નથી..
સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઇશ?
હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

સ્તબ્ધ આંખોમાં કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એમાંથી ક્યાં ક્યાં નીકળે

એ શું ક્બ્રસ્તાનનું કાવતરું છે
મુઠઠીઓ ખોલો તો મડદા નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

ર નીરંતર મેશમાં સબડે સતત
સુર્ય નીકળે તો કાળા નીકળે

-રમેશ પારેખ
બંધ પરબીડીયામાં મરણ મળે તમને
બચી શકાય તો બચવાની પળ મળે તમને

ખજૂરી જેવડો છાંયો મળે અ સિક્કાની
બીજીય બાજુ છે કે રણ મળે તમને

તમારા કંઠમા પહેલાં તો એક છિદ્ર
પછી તરસ ને પછી હરણ મળે તમને

ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો અને
સમગ્ર શહેરનાં લોકો અભણ મળે તમને

 -રમેશ પારેખ